Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કાલે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર પૂ.મોરારી બાપુની કથામાં ઉપસ્થિત રહેશે

ભુજ, તા.૮: રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા.૯ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૯મીએ સવારે ૧૦ કલાકે અહીંસાધામ, નંદી સરોવર તા.મુન્દ્રા મધ્યે અહીંસાધામ ખાતે પૂ.મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રિયમંત્રીશ્રી રૂપાલા આજે કચ્છની મુલાકાતે

ભારત સરકારના ખેતી અને ખેડૂત કલ્યાણ રાજયમંત્રીશ્રી પુરૂષોત્ત્।મભાઇ રૂપાલા આવતીકાલ તા.૮મી જુને, સાંજે ૪.૩૦ કલાકે નંદી સરોવર તા.મુન્દ્રા ખાતે પૂ.મોરારી બાપુની વ્યાસપીઠથી યોજાનારી રામકથામાં ઉપસ્થિત રહેશે. બાદમાં સાંજે ૭ કલાકે આશાપુરાધામ પ્રાગપર તા.મુન્દ્રા ખાતે જિલ્લા ભાજપા દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ગાંધીધામ ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ભરતી

ભુજઃ મામલતદાર, ગાંધીધામના જણાવ્યા અનુસાર મધ્યાહન ભોજન યોજનાના બે કેન્દ્રો જુની સુંદરપુરી પંચાયત પ્રાથમિક શાળા અને ફિ ટ્રેડ ઝોન પંચાયત પ્રાથમિક શાળા, ગાંધીધામ ખાતે મધ્યાહન ભોજન સંચાલકની હંગામી કરારના ધોરણે નિમણુંક કરવાની હોવાથી એસ.એસ.સી. સુધીનો અભ્યાન અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા ૨૦ વર્ષથી ઉપરના ઉમેદવારોએ નિત નમૂનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરીમાંથી મેળવી તા.૨૧ સુધીમાં અરજીમોકલી આપવાની રહેશે.

અરજી સાથે જન્મનો આધાર, રહેઠાણનો આધાર અને શૈક્ષણિક લાયકાતનો આધાર, આધાર કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટની નકલ સામેલ રાખવા પણ મામલતદાર, ગાંધીધામ દ્વારા જણાવાયું છે.

(11:33 am IST)