Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ગોંડલના ગુંદાળા ફાટક પાસે ટ્રેનની ઠોકરે ઘવાયેલા દિનેશભાઇ લીંબાણીનું મોત

પટેલ પ્રૌઢને હાથે તથા માથામાં ઇજા થતા રાજકોટ સારવારમાં હતા

રાજકોટ તા. ૮ : ગોંડલના ગુંદાળા ફાટક પાસે ટ્રેનની ઠોકરે ઘવાયેલા મોવૈયાના પટેલ પ્રૌઢનુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ મોવૈયા ગામમાં રહેતા દિનેશભાઇ છગનભાઇ લીંબાણી (ઉ.પ૦) ગઇકાલે ગોંડલના ગુંદાળા ફાટક પાસે પાટા ક્રોસ કરતા હતા ત્યારે ટ્રેનની ઠોકરે ચડી જતા તેને બંને હાથે તથા માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક દિનેશભાઇની પત્ની ઘણા સમયથી રીસામણે છે.

તે ખેતી કરતા હતા આ અંગે ગોંડલ પોલીસ મથકના હેડ કોન્સ ગણપતસિંહ તથા રાઇટર ધર્મેશભાઇ મુંધવાએ કાર્યવાહી કરી હતી.

(11:31 am IST)