Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જામનગરના અકિલાના પત્રકાર મુકુંદભાઈ બદિયાણીના ભાઈ જયસુખલાલ બદિયાણીનું અવસાનઃ સોમવારે ટેલિફોનીક બેસણુ

જામનગરઃ જામનગરના અકિલાના પત્રકાર મુકુંદભાઈ બદિયાણીના ભાઈ જયસુખલાલ બદિયાણીનું અવસાન થતા ઘેરોશોક છવાયો છે.

સ્વ. મોહનલાલ પરસોતમભાઈ બદિયાણી (પડાણાવાળા)ના પુત્ર જયસુખલાલ મોહનલાલ બદિયાણી (ઉ.વ.૬૦, શિવશકિત પેટ્રોલ પંપ-સોનાવડી) તે દિનેશભાઈ બદિયાણી, મુકુંદરાય બદિયાણી (અકિલા પત્રકાર-જામનગર)ના ભાઈ તથા સ્વ. વિઠ્ઠલદાસ ભોવાનભાઈ રાજાણીના જમાઈ તેમજ વિમલ બદિયાણી (એસ્સાર) તથા નિશાબેન ગાંધીના પિતાશ્રી તેમજ ચિરાગ બદિયાણી (રિલાયન્સ)ના કાકા તથા અમર કાંતિભાઈ ગાંધી (નગરસેવક-ઓખા)ના સસરાનું તા. ૮ને શનિવારે કોરોનાથી દુઃખદ અવસાન થયેલ છે.

અકિલાના પત્રકાર મુકુંદભાઈ બદિયાણીના ભાઈ સ્વ. જયસુખલાલ બદિયાણીનું અવસાન થતા અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા, અકિલાના ઈન્ટરનેટ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઈ ગણાત્રા તથા અકિલા પરિવારે બે મીનીટનું મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

કોરોના મહામારીને કારણે ટેલિફોનિક બેસણુ તા. ૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

દિનેશભાઈ બદિયાણી મો. ૭૦૧૬૦ ૦૪૮૨૪, મુકુંદરાય બદિયાણી મો. ૯૮૭૯૮ ૦૫૬૦૦, વિમલ બદિયાણી મો. ૯૯૨૪૪ ૭૬૦૧૪, ચિરાગ બદિયાણી મો. ૭૦૪૩૩ ૪૮૮૯૯, અમર ગાંધી મો. ૯૯૦૪૮ ૨૧૨૧૧

(12:41 pm IST)