Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ભાવનગરમાં ૧૦ મહિનાના બાળક સાથે તળાવમાં ઝંપલાવી માતાનો આપઘાત

આપઘાતના કારણ અંગે પોલીસ તપાસનો ધમધમાટ : મૃતદેહોને પીએમ માટે ખસેડાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૮ : ભાવનગરના બોરતળાવમાં એક જનતાએ પોતાના ૧૦ માસના બાળક સાથે પડતુ મુકી આપઘાત વહોરી લીધો હતો.

આ બનાવની મળતી વિગતો મુજબ શહેરના સીદસર રોડ પર રહેતા જયશ્રીબેન અશોકભાઇ પરમાર (ઉ.૨૮) નામની પરણીતાએ તેના ૧૦ માસના માસુમ પુત્ર નક્ષ સાથે બોરતળાવમાં ઝંપલાવી દીધું હતું.

દરમિયાન બોરતળાવના પાળા પાસેથી મહિલાના ચપ્પલ મળી આવતા આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ પાણીમાંથી જયશ્રીબેનનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:09 am IST)