Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ખંભાળીયામા મંગળવાર સુધીમાં કોવિડ ટેસ્ટ લેબ શરૂ થઈ જશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં કોવિડ તપાસ માટે RTPCR રિપોર્ટ ત્રણ ચાર દિવસે આવતા હોવાથી ફરિયાદ મળતા મુશ્કેલી પડતી હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલને ધ્યાનમાં આવતા 15 દિવસ પહેલા સરકાર મા  રજુઆત કરી હતી જે અનુસંધાને  રાજ્ય સરકારના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડા તેમજ ગુજરાત સરકારના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સાંસદ પૂનમબેન માડમને  રજુઆત કરતા તાત્કાલિક ઘટતુ કરવા રાજ્યના આરોગ્ય વિભાગમાં તાત્કાલિક સૂચના આપવામાં આવતા રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને જિલ્લા કલેક્ટર ડો.મિણા એ મંગળવાર સુધીમાં કોવિડ રિપોર્ટ લેબ શરૂ થઈ જશે તેવી બાંહેધરી જિલ્લા ભાજપા પ્રમુખને આપવામાં આવી છે  આ બાબતે જિલ્લા ભાજપા પ્રમુખ ખીમભાઈ જોગલે નિવેદન આપ્યું છે કે ભાજપની સંવેદનશીલ સરકાર છે જે બોલે છે એ કામ કરે છે

(10:36 pm IST)