Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પાકિસ્તાન મરીન દ્વારા વધુ ૪ બોટ સાથે રર માછીમારોના અપહરણ

બે દિવસમાં ૧૦ બોટ અને પ૬ માછીમારોના અપહરણઃ પાકિસ્તાનની જેલમાં અગાઉ અપહરણ થયેલા ર૦૦ થી વધુ માછીમારો

પોરબંદર તા.૮ : જખૌકચ્છ આંતરરાષ્ટ્રીય જળસીમાએ પાક મરીને ર દિવસ બાદ વધુ ૪ ફિશીંગ બોટ અને રર માછીમારોના અપહરણ કરી જતા અન્ય માછીમારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.બે દિવસ પૂર્વે પાક મરીને ૬ બોટ સાથે ૩૪ માછીમારોના અપહરણ કરી ગયેલ. બે દિવસમાં ૧૦ બોટ અને પ૬ માછીમારોના અપહરણ થયેલ છે.

 

તાજેતરમાં પાકિસ્તાનના કરાંચી જેલમાંથી ર તબક્કામાં ૩૦૦ થી વધુ માછીમારોને મુકત કરીને ભારતને સોંપી દીધેલ હતાં. ત્યારબાદ ફરી  જળ સીમાએ પાકિસ્તાને ચાંચીયાગીરી શરૂ કરી છે.

અગાઉ અપહરણ થયેલા કુલ ર૦૦ થી વધુ માછીમારા હાલ પાકિસ્તાનની જેલમાં છે.(૬.૨૦)

(2:40 pm IST)