Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જેતપુર : વલ્લભાચાર્ય પ્રાગટયોત્સવ યુ.એસ.એ.માં વૈષ્ણવાચાર્ય કૃષ્ણકુમારજીના સાનિધ્યમાં ઉજવાયો

જેતપુર  તા. ૮ :..  શ્રી પુરૂષોતમધામ હવેલી ખાતે બિરાજતા વૈષ્ણવાચાર્ય પ.પૂ. કૃષ્ણકુમારજી મહોદય (કડી) ક્રાંતીકારી વિચાર ધારા ધરાવતા હોય બહોળા પ્રમાણમાં વૈષ્ણવો તેમના અનુયાયીઓ બન્યા છે. દેશ ઉપરાંત વિદેશમાં પણ વૈષ્ણવો ઘેલા બની જાય છે. વૈષ્ણવાચાર્ય વર્ષ દરમ્યાન વિદેશમાં પુષ્ટી પ્રચાર યાત્રામાં જતા હોય ત્યાંનો વૈષ્ણવ સમુદાય દરેક પ્રસંગોમાં ઉમટી પડે છે. હાલ આચાર્ય શ્રી પ.પૂ. કૃષ્ણકુમારજી મહોદય, પ.પૂ. કુંજેશકુમાર મહોદય, સાનીધ્ય કુમારજી બાવા, આશ્રય કુમારજીબાવા યુ. એસ. એ. ના પેન્સીલ્વેનીયા ખાતે આવેલ વૃજ મંદિર ખાતે બિરાજતા હોય ગત રવિવાર ના રોજ શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટય ઉત્સવ ભારે ઉસ્તાહ પૂર્વક ઉજવવામાં આવ્યો સવારથી પલના, નંદ મહોત્સવ, શોભાયાત્રા બાદ મહાસભાનું આયોજન કરવામાં આવેલ હતું. આચાર્યશ્રી સાનિધ્યમાં ર૦૧૯ માં વૃજ ૮૪ કોષની પરીવારના વૃજયાત્રાનું આયોજન કરવામાં આવનાર હોય તેમાં જોડાવા માટે તત્પરતા બતાવી હતી. આ પ્રસંગે પેન્સિલ્વેનીયાના મેયર સહિત ૩૦૦૦ જેટલા વૈષ્ણવો જોડાયા હતાં.

(1:51 pm IST)