Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વઢવાણના લટુડાના વિર જવાન શહિદ

સાંજે પાર્થિવ દેહની સૈન્ય દ્વારા માન-સન્માન સાથે અંતિમવિધી

વઢવાણ તા. ૮ : સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણના લટુડાના વિર જવાન મહેશભાઇ ટમાલીયા પંજાબ બોર્ડર ઉપર શહિદ થતા નાના એવા ગામમા ભારે શોક છવાઇ ગયો છે.

ભારત પાકિસ્તાન વચ્ચે અવાર નવાર હુમલાઓ થઇ રહ્યા છે.  જેમાં જમ્મુકાશ્મીર પંજાબ બોર્ડર પર ગોળીબાર થઇ રહ્યો છે. પુલવામાં હુમલા બાદ ભારતે જોરદાર જવાબ આપવા છતાં પાકિસ્તાન સખણુ રહેતુ નથી. જેમાં અવાર નવાર હુમલા કરી ભારતના સૈનિકોને ઇજાઓ પહોંચાડી રહ્યા છે.

ત્યારે તાજેતરમાં જ પંજાબ બોર્ડર પર હુમલો થયો હતો. ત્યારે વઢવાણ તાલુકા લટુડા ગામનો યુવાન મહેશભાઇ ટમાલીયા પંજાબ બોર્ડર પર શહીદ થયો છે. તેઓના પાર્થીવ દેહને લટુડા ખાતે આજે સાંજે લાવવામાં આવશે આથી સૈન્ય દ્વારા માન સન્માન સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવશે. સુરન્દ્રનગર જિલ્લાના યુવાન શહીદ થતાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

(1:55 pm IST)