Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મનીષા ગોસ્વામી-સુરજીતભાઉ સીઆઇડીના હાથમાં આવતા નથી : જેન્તી ભાનુશાલી હત્યા કેસના ૪ આરોપીઓ વોન્ટેડ

ભુજ :ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં પોલીસે હાઇપ્રોફાઇલ એવા બે મોટા માથાઓ છબીલ પટેલ તેમ જ જેન્તી ડુમરાને ઝડપી લઈને જેલ હવાલે પણ કરી દીધા છે. પણ, સમગ્ર કેસની તપાસ કરી રહેલ ગુજરાત પોલીસની સીટની ટીમના પોલીસ અધિકારીઓને છેલ્લા ત્રણ મહિના થયા આ ચકચારી કેસના બે મુખ્ય ચર્ચાસ્પદ આરોપીઓ મનીષા ગોસ્વામી તેમ જ સુરજીતભાઉ મળતા નથી. આ અંગે શુક્રવારે આ બન્ને આરોપીઓ મનીષા, સુરજીત, ઉપરાંત અન્ય બે આરોપીઓ નિખિલ થોરાત અને રાજુ ધોત્રેને વોન્ટેડ જાહેર કરવા અને તેમને પકડી પાડવા કલમ ૭૦ હેઠળ તેમની મિલકતો જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવા પોલીસે ભચાઉ કોર્ટમાં અરજી કરી છે. જેન્તી ભાનુશાલી હત્યા પ્રકરણમાં સેક્સ સંબંધો અને તેને લગતી ઓડિયો વીડિયો કલીપીંગ્સએ ખળભળાટ સર્જ્યો હતો. જેન્તી ભાનુશાલીની હત્યા કરવા ૩૦ લાખ રૂપિયાની સોપારી મુંબઈના શાર્પશૂટરોને અપાઈ હતી.

(12:20 pm IST)