Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

શાપર-વેરાવળમાં ધારાબેનનો આપઘાત

ફાંસો ખાઇ આપઘાત કરનાર મુળ કેશોદ પંથકના મૃતક ધારાબેને સલીમ સાથે પ્રેમલગ્ન કર્યા'તાઃ પતિ સલીમ દુબઇ રહે છેઃ આપઘાતના કારણ અંગે તપાસ

તસ્વીરમાં લટકતો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ કમલેશ વાસાણી-શાપર-વેરાવળ)

શાપર-વેરાવળ, તા., ૮: શાપર-વેરાવળમાં પ્રેમલગ્ન કરનાર યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

શાપર-વેરાવળમાં આવેલ અક્ષરધામ સોસાયટીમાં આવેલ ૧૦૬ નંબરમાં રહેતા ધારાબેન સલીમભાઇ વડસરીયા ઉંમર (ર૭) પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જતા ઘટના સ્થળે મોત નિપજયું હતું. સંતાનમાં એક પુત્ર છે જેણે માતાની છત્રછાયા ગુમાવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક ધારાબેન કેશોદ પંથકના છે અને તેણે કેશોદ પંથકના જ સલીમ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ શાપર-વેરાવળમાં રહેતા હતા. સલીમ હાલ દુબઇ રહે છે. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)