Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ગઢડા મંદિરના નૂતન ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામીને સુપ્રિ. ઓફ પોલિસ (SP)ની હાજરીમાં ગઢડા મંદિરની સ્થાવર તેમજ જંગમ મિલ્કતનો ચાર્જ સોંપતા પૂર્વ ચેરમેન શ્રી એસપી (SP) સ્વામી

ગઢડા તા. ૮ વડતાલ શ્રી હરિકૃ્ષ્ણ મહારાજ અને ગઢડા ગોપીનાથજી મહારાજની કૃપાૂથી વડતાલ પીઠાધિપતિ પ.પુ. .ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તેેેમજ સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિર ચેરમેનશ્રી તેમજ અન્ય સંતોના પરિશ્રમથી ગઢડા મંદિરની ચુટણીમાં દેવપક્ષનો ઝળહળતો વિજ્ય થયો છે.

સુપ્રીમકોર્ટના આદેશ મુજબ, હાઇકોર્ટના નિવૃત જજ શ્રી એસ.એમ.સોની સાહેબ, નિવૃત રાજ્ય ચુટણી કમિશ્નરશ્રી અને પૂર્વ કાયદા સચિવ શ્રી પ્રભાકરભાઇ ધોળકિયાના માર્ગદર્શન નીચે તેેમજ જીલ્લા કલેક્ટર સુજીતકુમાર, જીલ્લા પોલિસ વડા શ્રી હર્ષદભાઇ મહેતાના ચુસ્ત પોલિસ બંદોબસ્ત નીચે મત ગણતરી કરવામાં આવી  હતી. જેમાં દેવ પક્ષનો ઝળહળતો વિજય થયો છે.

         વિજય બાદ ગુજરાત સુપ્રિ.ઓફ પોલિસ (SP) તથા જીતેલા સભ્યો તથા ગઢડા મંદિરના સદગુરુ સંતોની  ઉપસ્થિતિમાં ગઢડા મંદિરની સ્થાવર તેમજ જંગમ મિલ્કતનો તમામ ચાર્જ  નૂતન ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામીને પૂર્વ ચેરમેન શ્રી એસપી સ્વામીએ સોંપેલ છે.

         આ પ્રસંગે નવા નિમાયેલા મુખ્ય કોઠારી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી (ભાવનગર), સહાયક કોઠારી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી (બોટાદવાળા), શાસ્ત્રી નિર્લેપદાસજી સ્વામી, વિશ્વમંગળદાસજી સ્વામી, દેવકિશોરદાસજી સ્વામી (નાહિયેરવાળા), માધવપ્રસાદદાસજી સ્વામી (નારાયણપુરા), હરિનંદનદાસજી સ્વામી (મહુવા), આનંદપ્રસાદદાસજી સ્વામી, વિશ્વમંગળદાસજી સ્વામી (ટાટમ), તથા સ્વામી શા.ગોવિંદપ્રસાદદાસજીએ   ઘણા વરસ સુધી ગોપીનાથ મહારાજના મંદિરનો વહિવટ અને સેવા કરનાર પૂર્વ ચેરમેન શ્રી  એસપી સ્વામીનો  આભાર માન્યો હતો. તેમ ટાટમ ગુરુકુલના શા. વિશ્વમંગળદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.

(11:51 am IST)