Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પોરબંદરના કુછડીમાં સ્વ.વનીતા બહેન ઉર્ફે વીરૂબેન એ રણજીતભાઇ કારાવદરાની અપરણીત પુત્રી

શંકાસ્પદ મૃત્યુ જણાતા લાશને પીએમ માટે મોકલીઃ શરીરે ઇજાના નિશાનો

પોરબંદર તા. ૮: પોરબંદરના કુછડી રાણાવાડા સીમમાં ગઇકાલે મરણ હાલતમાં મળેલ વનીતાબેન ઉર્ફે વીરૂબેન રણજીતભાઇ પરબતભાઇ કારાવદરા (ઉ.ર૧) તેઓ રણજીતભાઇ પરબતભાઇ કારાવદરાના પતિ થાય તેવું ગઇકાલે શરતચુકથી પ્રસિધ્ધ થઇ ગયેલ. હકીકતમાં મરનાર વનીતાબેનના રણજીતભાઇ પરબતભાઇ કારાવદરાના પિતાશ્રી થાય છે. વનીતાબેન અપરીણીત છે. કુછડી રીણાવાડા સીમ મકાનમાં વનીતાબેન રણજીતભાઇ કારાવદરાની લાશ મળી હતી અને  શરીરે તિક્ષ્ણ હથિયારથી ઇજાના નિશાનો મળી આવેલ.  લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી છે. અને પોસ્ટમોટમ રીપોર્ટ આવ્યા બાદ હત્યા આત્મહત્યા કે અકસ્માતથી મૃત્યુનું કારણ બહાર આવશે.

(11:49 am IST)