Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હળવદમાં ભગવાન પરશુરામ જન્મ જયંતીની ઉજવણી

હળવદઃ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે એવા ભગવાન પરશુરામ બ્રાહ્મણોના આરાધ્ય દેવ ગણાય છે ત્યારે ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે ગુરુદેવની નગરી હળવદમાં ભગવાન પરશુરામની જન્મ જયંતી પુરા ભાવ ભકિત સાથે ઉજવણી કરવામાં આવી હતી. હળવદમાં ભગવાન પરશુરામના મંદિર ખાતે વિશેષ પૂજન અર્ચના કરવામાં આવે અને અને ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બ્રહ્મસમાજના યુવકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. જય પરશુરામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો એક અનેરા ભકિતભાવ સાથે બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતીની હર્ષોલ્લાસ ઊજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રાની તસ્વીર.(તસ્વીરઃ હરીશ રબારી.હળવદ)

(11:46 am IST)