Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કાલથી આમરણના ધુળકોટમાં વાનરવીર આશ્રમના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથા

આમરણ તા ૮ : આમરણ પાસેના વાનરવીર આશ્રમના સાનિધ્યમાં આશ્રમ તેમજ ગોૈશાળાના લાભાર્થે તા. ૭ થી તા. ૧૫ સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વકતા સંત શ્રી પુરીબાપુ (ખંડેરાવપુર વાળા) સંગીતમય શૈલીમાં કથાનુ રસપાન કરાવશે. તા. ૧૫-૫/ ના રોજ પુર્ણાહુતિ દિને શાસ્ત્રીજી ગિરધરભાઇ જાનીના આચાર્યપદે ગ્રુપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

કથાના મુખ્ય યજમાનપદે નાનજીભાઇ ગોવિંદભાઇ રાઘવાણી પરિવાર બિરાજશે. ઉપરોકત પ્રસંગે સંતો મહંતો હાજરી આપશે.તા. ૧૬/૫ ના રોજ સમસ્ત ગામ ધુમાડાબંધ સમુહ પ્રસાદ લેશે.

કથા દરમિયાન  દરરોજ રાત્રે નામાંકિત કલાકારોની સંતવાણી તથા રાસગરબા, નાટક વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.આયોજક સમિતીના પ્રમુખ આશોકભાઇ રાઘવાણી દ્વારા કથા શ્રવણનો લાભ લેવા જણાવાયુંછે. કાર્યક્રમને સફળ બનાવવા ગામ આગેવાનોના માર્ગદર્શન હેઠળ યુવાનો જહેમત ઉઠાવી રહયા છે.

(11:39 am IST)