Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

પોરબંદરમાં કલરવ તથા આર્યસમાજ દ્વારા દિવંગત કવિઓની રચનાઓનું પઠન

પોરબંદર, તા. ૮ : કલરવ સાહિત્‍ય વિકાસ તથા આર્યસમાજના સંયુકત ઉપક્રમે દિવંગત કવિઓની રચનાઓનું પઠન કરવામાં આવ્‍યું. જેમાં પોરબંદરના કવિઓ, સાહિત્‍યકારો તથા સાહિત્‍યરસીકો દ્વારા ૧૬ દિવંગત કવિઓની ર રચનાઓનું પઠન કરેલ હતું.

કલરવના પ્રમુખ ડો. સુરેખાબેન શાહે સ્‍વાગત કરતા જણાવ્‍યું કે પોરબંદરની જનતાને આવા પ્રોગ્રામથી એ વાતની જાણ થાય છે કે સાહિત્‍યક્ષેત્રે પોરબંદર ઘણુ સમૃદ્ધ હતું અને છે. કલરવ સંસ્‍થાના આધારસ્‍તંભ જેવા પ્રો. પલાણે જણાવ્‍યું કે આગામી સમયના સાહિત્‍યને જુદી જુદી સંસ્‍થાઓ અને જુદા જુદા ગામોમાં લઇ જવાનો વિચાર છે તેમણે યુવાનોને વધુ ઉત્‍સાહપૂર્વક આગળ આવવા આહવન આપ્‍યું હતું.

કાર્યક્રમને સંચાલન શ્રી વજુભાઇ ખુનાણીએ કર્યું હતું.

આર્યસમાજના પ્રમુખશ્રીઓની કલાકારોના ઉત્‍સાહને આવકારેલ. સમારંભમાં પદુભાઇ રાયચુરા, ભરતભાઇ માખેચા, ડો. કમલ મહેતા, ડો. તેજસ ઠાકર, ડો. જયેન્‍દ્ર કારીયા, ભરતભાઇ રાજાણી, નીતાબેન વોરા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.

(1:11 pm IST)