Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પતિ મથુરાની જેલમાંથી ન છૂટતાં વિયોગમાં પત્નિનો વઢવાણના અણીદરા ગામે આપઘાત

રાજકોટ તા. ૮: વઢવાણના અણીદરા ગામે સસરા-સંતાનો સાથે રહેતી મુળ યુ.પી.ની રાનીબેન અનુભાઇ માળી (ઉ.વ.૨૫) ચાર દિવસ પહેલા ઝેરી દવા પી જતાં સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે મોત નિપજ્યું હતું.

આપઘાત કરનાર રાનીબેનને સંતાનમાં  બે પુત્ર છે. રાનીબેનનો પતિ કાર ડ્રાઇવીંગ કરતો હતો. તેણે મથુરામાં અકસ્માત સર્જતા જેલહવાલે થયો હતો. લાંબો સમય થવા છતાં તે જેલમાંથી છુટતો ન હોઇ તેના વિયોગને કારણે તેણીએ ઝેરી દવા પી લીધી હતી. પતિ જેલમાં ગયા બાદ તેણી સસરા અને સંતાનો સહિતના પરિવાર સાથે અણીદરા ગામે રહી ખેત મજૂરી કરતી હતી.

(11:43 am IST)