Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

જૂનાગઢ જિલ્લામાં કહેર વર્તાવતો કોરોના : નવા 43 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 21 કેસ ,જૂનાગઢ તાલુકામાં 4 કેસ, કેશોદ અને માણાવદરમાં 4-4 કેસ, માળીયા અને વંથલીમાં 3-3 કેસ,મેંદરડા અને વિસાવદરમાં 2-2 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 43 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 43 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 21 કેસ ,જૂનાગઢ તાલુકામાં 4 કેસ, કેશોદ અને માણાવદરમાં 4-4 કેસ, માળીયા અને વંથલીમાં 3-3 કેસ,મેંદરડા અને વિસાવદરમાં 2-2 કેસ નોંધાયા છે

(9:03 pm IST)