Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત તાપમાનનો પારો ઉંચો

આખો દિવસ ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઉનાળાનો માહોલ બરાબરનો જામ્યો છે અને મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થઇ જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

સવારના સમયે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથેજ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.બપોરના સમયે ધોમધખતા તાપન કારણે રસ્તાઓ સુમસામ બની જાય છે અને લોકો ઘરની બહાર નીકળવાનુ ટાળે છે.

જામનગર : આજનું હવામાન ૩પ મહત્તમ ર૧.ર લઘુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:58 pm IST)