Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મોડી રાત્રે જૂનાગઢ અને માળીયાના દર્દીના સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલાયા

કુલ ત્રણ દર્દીનાં સેમ્પલનાં રિઝલ્ટની પ્રતિક્ષા

જુનાગઢ તા. ૮: મોડી રાત્રે જુનાગઢ અને માળીયાનાં દર્દીનાં સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ઼ેલ કે, મોડી રાત્રે જુનાગઢનાં ર૬ વર્ષીય દર્દી અને માળીયા હાટીનાનાં ૪૩ વર્ષીય દર્દીનાં સેમ્પલ લેવામાં આવેલ અને પૃથ્થકરણ માટે ભાવનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.

આમ હવે કુલ ત્રણ સેમ્પલનાં રિઝલ્ટની પ્રતિક્ષા છે જે નેગેટિવ આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.

(12:02 pm IST)