Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કાલાવડના સતીયામાં દાદીએ કામ પ્રશ્ને ઠપકો દેતાં ૧૭ વર્ષની સપનાનો આપઘાત

રાજકોટ તા. ૮: કાલાવડના સતીય ગામે રહેતી સપના અરવિંદભાઇ માલા (ઉ.વ.૧૭) તા. ૫ના સાંજે પોતાના ગામમાં પોતાની વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે મધુરમ્ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અહિ સારવાર દરમિયાન ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

હોસ્પિટલ મારફત જાણ થતાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેશા (ખારવા)એ જરૂરી કાર્યવાહી કરી કાલાવડ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર સપનાને તેના દાદીમાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું સ્વજનોએ જણાવ્યું હતું. બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગઇ હતી.

(12:16 pm IST)