Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વાંકાનેરમાં છીપરીયાળી ખોડીયાર મંદિર દ્વારા ૬૦ લોકોને રોજ ભોજનસેવા

 વાંકાનેર તા.૮ : વાંકાનેર છેવાડે ગઢીયા ડુંગરા પાછળ શ્રી ગાત્રાળ માતાજી મંદિર વાળા રસ્તે આવેલ શ્રી છપરીયાળી ખોડીયાર માતાજીની જગ્યા દ્વારા દરરોજ સાંજે આસપાસના ગરીબોના પરિવારના ૬૦ થી વધુ લોકોને ગરમા ગરમ ભોજન પીરસાય છે.

આ જગ્યાના સંચાલક અને સેવકો ઠાકરશીભાઇ રાજગોર, મહેશભાઇ રાજગોર, અશોકભાઇ પુજારાએ કહેલ કે જગ્યા શહેરથી થોડી દૂર અને ડુંગરા પાછળ કાચા માર્ગે આવેલી છે. વર્તમાન સમયમાં લાગેલા લોકડાઉનને લીધે મંદિર આસપાસ ઝુપડામાં રહેલા ગરીબ પરિવારના લોકોને ભારે તકલીફ પડતી હોવાનુ જણાતા ઉપરોકત સેવકો અને દાતાઓના સહયોગથી દરરોજ સાંજે આ લોકો માટે મંદિરની જગ્યામાં જ રસોઇ બનાવી ત્યાં જ એક એક મીટરમાં ડીસ્ટન્સમાં બેસાડી ભરપેટ જમાડે છે.

લોકડાઉન શરૂ થયુ ત્યારથી આ સેવા શરૂ કરવામાં આવી છે અને તેમા યથાશકિત દાતાઓનો સહયોગ પણ મળી રહ્યો હોવાનુ જણાવેલ.(

(11:34 am IST)