Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

શહેરના ડુંગરપર સહિતના ધર્મસ્થાનોમાં પણ સોડિયમ હાઇપો કલોરાઇડનો બ્રાઉઝર, હેન્ડ પંપ દ્વારા છંટકાવ

ભાવનગર જિલ્લાના તળાજાના નગરજનોને કોરોનાથી બચાવવા પાલિકા તંત્ર એલર્ટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૮: ભાવનગર જિલ્લાના તળાજા વાસીઓને કોરોનાથી બચાવવા પાલિકા તંત્ર, સેવાભાવી સંસ્થાઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

તળાજાના અને હાલ અમદાવાદમાં ફાર્મા કંપની ચલાવતા ખરક વિજયભાઈ વિઠ્ઠલભાઈ ભૂત દ્વારા પાલિકા ને એલ હજાર લીટર સોડિયમ હાઇપો કલોરાઇડ અનેઙ્ગ સેનેટાઇઝર ને ૮૬૦૦ બોટલ દ્યેર દ્યેર વિતરણ કરવા વિના મૂલ્યે ભેટ આપેલ હતી.

એ ઉપરાંત આજે પાલિકા અધ્યક્ષ દક્ષાબા સરવૈયા, ચીફ ઓફિસર મુનિયા, પાલિકાના રમેશભાઈ ભાલિયા, લાલજીભાઈ સરવૈયા સહિતના દ્વારા આજેપણ હેન્ડ પંપ અને બ્રાઉઝર સહિતના સાધનો દ્વારા આજે શહેરના તમામ જાહેર માર્ગો, ગલી ખાંચામાં, સામૂહિક રેસિડેન્ટ વાળી ડેલીઓ માં અને ડુંગર ઉપર ખોડિયાર મંદિર, જીનાલયો, સાંઈ મંદિર સહિતના તમામ ધર્મસ્થાનો પર છંટકાવ કરવામાં આવેલ હતો.

(10:17 am IST)