Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ધોરાજીમાં મધુરાષ્ટકમ્ રસપાન મહોત્સવ

ગોવિંદપ્રભુ સેવા મંડળ દ્વારા ત્રિદિવસીય આયોજન : શોભાયાત્રા તથા કિર્તન

ધોરાજી તા.૮ : આગામી તા.૧૩ થી ૧૬ ૩ દિવસ શ્રી વ્રજધામ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન જુનુ બસ સ્ટેન્ડ ખાતે મધુરાષ્ટકમ રસપાન મહોત્સવ પૂ.પાનિલી ગો.૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીની કૃપાથી એવાં મદોદાર ચરિત્રવાન ભકત પ્રસાદ સપુત સ્વરૂપ પૂ.પા.ગો.૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રીની આજ્ઞાથી યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રીના માર્ગદર્શનાનુસાર શ્રી ગોવિંદપ્રભુ સેવા મંડળ ધોરાજી દ્વારા આયોજન થયુ છે.

પ્રથમદિન તા.૧૩ ને બુધવારે બપોરે રઃ૩૦ વાગે સરદાર ચોક જેતપુર રોડથી બેન્ડવાજા ઢોલ નગારા કિર્તનપાર્ટી સાથે ધોરાજીના રાજમાર્ગો પર ફરશે. મહોત્સવને દિપપ્રગટાવીને ગો.૧૦૮ પ.પુ.ગો.શ્રી જયવલ્લભલાલમહોદયશ્રી તેમજ લેઉઆ પટેલ મંડળ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઇ પટેલ મહોત્સવને ખુલ્લો મુકશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય મનોરથી ભરતભાઇ લકકડ પરિવાર ધોરાજી તેમજ જેન્તીભાઇ સોગરકા, સંજયભાઇ રાખોલીયા, ગોપાલભાઇ જાગાણી, પંકજભાઇ રાણપરીયા, રમેશભાઇ કોયાણી, સંજયભાઇ વઘાસીયા, સંજયભાઇ બાલઘા, દિપેનભાઇ હિરપરા, પરસોતમભાઇ ગુંદણીયા, નિતીનભાઇ જાગાણી, પ્રમોદભાઇ રાખોલીયા, બાલભાઇ જાગાણી, હેમંતભાઇ પાનસુરીયા, ચંદુભાઇ ઉંધાડ, વિજયભાઇ અંટાળા, મહેશભાઇ પોલરા સહિત વૈષ્ણવો ઉપસ્થિત રહેશે.

(12:08 pm IST)