Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સોમવારે જુનાગઢના ઉપલા દાતારમાં પૂ. પટેલબાપુની પુણ્યતિથિ ઉજવાશે : સમાધી પૂજન-મહાપ્રસાદ

પૂ. ભીમબાપુની નિશ્રામાં આયોજન : નિરંજન પંડયા, બિરજુ બારોટની સંતવાણી : ભાવિકો ઉમટયશે

જુનાગઢ : ઉપરોકત ફાઇલ તસ્વીરમાં દાતાર બાપુની ગુફામાં બિરાજમાન ઇન્સેટ તસ્વીરમાં પૂ. પટેલબાપુ તેમજ પૂ. વિઠલબાપુ અને મહંત ભીમબાપુ નજરે પડે છે. (તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ, તા. ૬ : જુનાગઢ ઉપલાદાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત પૂ. પટેલ બાપુની ફાગણ સુદ- પ ને તા. ૧૧ ને સોમવારના રોજ ર૯મી પુણ્યતિથિ હોય જેની મહંત પૂ. ભીમબાપુની નિશ્રામાં ભાવભેર ઉજવણી કરવાનું અનેરૂ આયોજન કરાયું છે.

જેમાં પૂર્વ સંધ્યાએ તા. ૧૦ ને રવિવારના રોજ ૧૦ કલાકે ભજન સંધયાના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજનીક નિરંજન પંડયા અને બિરજુ બારોટ પોતાની આગવી શૈલીમાં પોતાની કલા પીરસશે અને સોમવારે સવારે ૧૦ કલાકે પૂ. પટેલબાપુની સમાધિનું શાસ્ત્રોકતવિધી સાથે પૂ. ભીમબાપુના હસ્તે પૂજન કરવામાં આવશે અને બપોરે ૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે તો કોમી એકતાના પ્રતિક એવી આ દાતારની જગ્યા ખાતે સર્વ હિન્દુ-મુસ્લિમ દાતાર ભકતોને આ અવસરે પધારવા મહંત પૂ. ભીમબાપુ ગુરૂશ્રી પટેલ બાપુ અને કિશોરભાઇ તેમજ મુન્નાભાઇએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

(12:07 pm IST)