Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ખંભાળીયા ખૂન કેસનો ફરાર કેદી ઝડપાઇ ગયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૮: પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. - ૧૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨,૪૯૮(એ) મુજબના ગુનાના કામેના સેશન્‍સ કેસ નં.૨૯/૨૦૧૮થી સેશન્‍સ કોર્ટ - દેવભૂમિ દ્વારકા ખંભાળીયા દ્વારા કેદી નં. ૪૭૬૩૫ મહેબુબ જુસબભાઇ ખીરા, રહે. - નરશીભવન પાછળ, રેલ્‍વે સ્‍ટેશન રોડ, ખંભાળીયા, ગત તા.૮/૦૩/ર૦ર૧ના આજીવન કેદની સજા ફરમાવવામાં આવેલ. સજા ભોગવેલ દરમિયાન ગત તા.રર/૦૮/ર૦રર ના દિન-૧૪ ની ફર્લો રજા પર મુકત થયેલ. જે કેદી ફર્લો રજા ભોગવી પરત ગત તા.૦૬/૦૯/૨૦૨૨ના રોજ રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી ફર્લો પરથી ફરાર થઇ ગયેલ.

દરમિયાન એ.એસ.આઇ. સજુભા જાડેજાનાઓને સંયુકતમાં મળેલ બાતમી આધારે ખંભાળીયા રેલ્‍વે સ્‍ટેશન રોડ, નરશીભવન પાછળ ખાતે તેના ઘરે જઇ તપાસ કરતા કેદી નં.૪૭૬૩૫ મહેબુબ જુસબલાઇ ખીરા. રહે. નરશીભવન પાછળ, રેલ્‍વે સ્‍ટેશન રોડ, ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકાનાઓ મળી આવતા તેની પુછપરછ કરતા સને-ર૦૧૮ના અરસામાં તેને ઘરકંકાસ હોવાથી તેની પત્‍નિ અફસાનાબેન ડો./ઓફ હુશેનભાઇ દોશમામદ રહે.લાલપુર વાળીના ખુનના ગુનામાં આજીવન કેદની સજા થયેલ.

આ કાર્યવાહીમાં એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્‍સ. કે.કે. ગોહીલની રાહબારી હેઠળ PSI એસ.એસ.ચૌહાણ, ASI સજુભા ગહમીરજી જાડેજા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, તથા HC સહદેવસીહ જાડેજા, જેસલસીહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજાનાઓ જોડાયા હતા.

(1:25 pm IST)