Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પોરબંદરની જેલમાં કેદીઓ સાથે અમાનવીય વર્તન અંગે તપાસ કરવા મહેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજૂઆત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮ રૂ. મહેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ જેલના અધિક્ષકને કરેલી રજૂઆતમાં જેલમાં કેટલાક કેદીઓ સાથે અમાનવીય વર્તન કરાતુ હોય જે માનવ અધિકાર વિરૂદ્ધ હોય તેની તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવા માગણી કરી છે.

આ રજૂઆતમાં જણાવેલ કે જેલમાં ૩ કેદીઓ સાથે માનવ અધિકાર વિરૂદ્ધ વર્તન કરાતુ હોય અને તે સંબંધે જવાબદારો સામે બદલી સહિતના પગલા લેવાની માગણી મહેર ચેરીટેબલ ટ્રસ્ટે કરી છે. જો પગલા નહી લેવામાં આવે તો જેલના દરવાજા પાસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી રજૂઆત સાથે અપાઈ છે.

(1:49 pm IST)