Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જાળીલા ગામે શ્રી ખોડીયાર આશ્રમ ખાતે સોમવારથી શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ : ૧ મહિનો ચાલશે

સાધુ જીજ્ઞાબેન ગોંડલીયા જ્ઞાનગંગા વ્હાવશે : વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે : સાંસ્કૃતિક કાર્યક્રમો : મહાપ્રસાદ

રાજકોટ, તા. ૮ : બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે બગડનો મારગ રોડ પર શ્રી ખોડીયાર આશ્રમે તા.૧૦ ફેબ્રુઆરીથી તા.૯ માર્ચ સુધી એક મહિનો શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ માસ પારાયણનું આયોજન પ.પૂ.મહંત શ્રી રામદાસબાપુ ગુરૂશ્રી યોગેશદાસબાપુ તેમજ જાળીલા તથા સમસ્ત સેવક સમુદાય દ્વારા કરવામાં આવેલ છે.

શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ વકતા શ્રી સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલીયા સવારે ૯ થી ૧૨ બપોરે ૩ થી ૬ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાના પાવન પ્રસંગો શ્રી રામકથા મહાત્મ્ય, શ્રી શિવ પાર્વતી વિવાહ, શ્રી રામ જન્મ, શ્રી રામ બાળલીલા, શ્રી સીતારામ વિવાહ, શ્રી રામ વનવાસ, ભરત મિલાપ, શ્રી હનુમાનજી મિલન, રાવણવદ, શ્રી રામ રાજયભિષેક દરેક પ્રસંગો ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

કથા દરમિયાન દરેક ભાવિભકતો માટે મહાપ્રસાદનું બપોરે તથા સાંજે વ્યવસ્થા રાખેલ છે. કથા દરમિયાન રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો તા.૧૫ ફેબ્રુઆરીના નાટ્યાત્મક હાસ્ય (યુ-ટ્યુબ ફેમસ કોમેડી કિંગ વિજુડી તથા સાથી કલાકારો) સંતવાણી - લોકડાયરો તા.૧૬ ફેબ્રુ. કલાકાર કરીશ્મા દેશાણી, જોરૂભાઈ ડોડીયા, બલરામ મહારાજ સંતવાણી - લોકડાયરો તા.૨૩ ફેબ્રુ. કલાકાર ગુલાબબેન પટેલ, વાસુ મહારાજ, જોરૂભાઈ ડોડીયા, ડાક - ડમરૂની રમઝટ તા.૨૬ ફેબ્રુ. કલાકાર રાવળ મનસુખભાઈ, રાવળ બાબુભાઈ ભવ્ય સંતવાણી તા.૧ માર્ચ કલાકાર મુકેશભાઈ પ્રજાપતિ, મેહુલ પરમાર ભવ્ય સંતવાણી તા.૮ માર્ચ કલાકાર પૂનમબેન ગોંડલીયા, બટુકભાઈ ઠાકોર, નરેશભાઈ વાઘેલા રહેશે. શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ માસ પારાયણમાં શ્રી ખોડીયાર આશ્રમ તરફથી સૌ ભાવિ ભકતોને આમંત્રણ અપાયુ છે.

સ્થળ : શ્રી ખોડીયાર આશ્રમ, બગડનો મારગ, જાળીલા રોડ, તા. રાણપુર, જિ.બોટાદ મો.૯૮૨૪૮ ૪૧૫૬૦.

(3:17 pm IST)