Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

વાંકાનેરમાં કાલે શ્રી વેલનાથ દાદાના મંદિરે છઠ્ઠો સમુહ લગ્નોત્સવ

સાત નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાશેઃ તડામાર તૈયારીમાં વ્યસ્ત આયોજકો

વાંકાનેર તા. ૮ :.. વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ જય વેલનાથ દાદા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમુહ લગ્નોત્સ્વ ધામધુમથી ઉજવાશે. વર્તમાન સમયમાં મોંઘવારી અને દેખાદેખીથી  પર રહી ઉપરોકત ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના અગ્રણીઓ અને આવા સારા કાર્યામાં સહભાગી થતા સર્વેના સહયોગથી અત્રેના રાજકોટ રોડ ઉપર મામલતદાર ઓફીસની સામે આવેલ. વંદનીય સંતશ્રી વેલનાથબાપુના મંદિરના વિશાળ  પટાંગણમાં તા. ૯ ને રવિવારે સાત નવદંપતીઓ લગ્નગ્રંથી થી જોડાશે. શાસ્ત્રીજી મુકેશભાઇ વી. મહેતા વૈદીક મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધી સંપન કરાવશે.

વાંકાનેર, મોરબી, થાન વિગેરે ગામોથી જાનૈયા - માંડવ્યા વાંકાનેરમાં લગ્ન સ્થળે પધારશે આ પાવન પ્રસંગમાં જુદા જુદા ધાર્મિક સ્થળોના સંતો-મહંતો, સામાજીક, રાજકીય અને સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અગ્રણીઓ, આમંત્રીતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા માંડી જીવન યાત્રાની  શરૂઆત કરનાર નવદંપતીઓને આર્શિવાદ આપશે.

આ પાવન પ્રસંગમાં સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, હળવદના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા  વાંકાનેરના યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા સહિતના અગ્રણીઓ પધારશે તેમ ઉપરોકત ટ્રસ્ટના સમુહ લગ્ન સમિતિએ યાદીમાં જણાવ્યું છે.

(11:56 am IST)