Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

મોરબીમાં દુકાનદાર ઉપર ૩ શખ્સોનો હુમલો

અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી અલારખા સોલંકી પર જાવેદ, અલીમામદ અને નૌશાદ પાઇપ સાથે તૂટી પડયા

મોરબી, તા.૮: મોરબીના સિપાહીવાસમાં આવેલ સીદીકી મસ્જીદ પાસે રહેતા અલારખા પુંજાભાઈ સોલંકી (ઉ.વ.૭૦) વાળા પર ત્રણ શખ્શોએ હુમલો કરી દેતા તેને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉ જાવેદ મકરાણી, અલીમામદ તારમામદ મકરાણીને પાણીના પાઉચ બાબતે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી ગત રાત્રીના સુમારે ફરિયાદીની દુકાનની છત પરથી નીચે પથ્થરનો ઘા આવતા ફરિયાદીના દીકરી યુનુસભાઈએ કોણ પથ્થર ઘા કરે છે તેમ કહી ટપારતા નીચે ઉતરી નૌશાદ હુશેન સિપાઈ નામના આરોપીએ ફરિયાદીના દીકરા સાથે ઝઘડો કરીને તેમજ ફરિયાદી વચ્ચે પડતા મારી નાખવાના ઈરાદે લોખંડના પાઈપના બે ઘા કરી માથામાં ઈજા કરી હતી તેમજ પગમાં ધોકા મારી ત્રણેય આરોપીઓએ તેને ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

સગીરાનું અપહરણ

મોરબી નજીક આવેલ ગામમાંથી સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં શકદાર દીપક નામનો શખ્શ ગત તા. ૦૨ ના રોજ સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાનું સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે.

બાઇકની ઉઠાંતરી

મોરબીના રવાપર રોડ પર રહેતા રામજીભાઈ મોહનભાઈ સતવારા (ઉ.વ.૪૫)નું ટીવીએસ મોટરસાયકલ કીમત રૂ ૪૦ હજાર પંચાસર રોડ પર સ્મશાન પાસે આવેલ વાડીના દરવાજા પાસે પાર્ક કર્યું હોય જે અજાણ્યા ઈસમો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.(૨૩.૭)

(2:47 pm IST)