Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પલાસામાં મંદિરમાં યુવાનને વીજશોક લાગતા મોત

રામદેવપીરનું મંદિર બનાવવાનું કામ ચાલતું હતું લોખંડનો સળીયો અડતાં શોક લાગ્યો

વઢવાણ તા. ૮ : મૂળીનાં પલાસા ગામે રામદેવપીરનું મંદિર બનાવવાનુ કામ ચાલી રહ્યું છે. ત્યારે ગામનાં ૨૧ વર્ષના સુરેશભાઇ પરમાર સહિતનાં કામગીરી કરી રહ્યા હતા. બુધવારે સાંજનાં સમયે ધાબા પર સુરેશભાઇ કામ કરી રહ્યા હતા. સળીયો લઇ ઉંચો કરાતા ઉપરથી પસાર થતો વીજતારને અડી જતા વીજશોક લાગતા સુરેશભાઈ નીચે પટકાયો હતો.  જેમાં સુરેશભાઇ ને માથમાં અને અન્ય ભાગે ગંભિર ઇજાઓ પહોંચતા દવાખાને લઇ જવાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે મૃતક જાહેર કરતા સમગ્ર પરિવારમાં શોકનું મોઝુ ફરી વળ્યું છે. આ અંગે મૃતકનાં ભાઇ જયંતિભાઇએ પોલીસ મથકે જાણ કરાતા વધુ તપાસ આર. જે. રાઠોડ ચલાવી રહ્યા છે.(૨૧.૧૮)

 

(2:47 pm IST)