Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પોરબંદર દરિયાકાંઠે સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી

અગ્નિ સ્નાન કરી આત્મહત્યા કે યુવાનને સળગાવીને કોઇએ લાશ ફેકી ગયુ..?: પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ

 પોરબંદર તા. ૮ : ઇન્દ્રેશ્વર મંદિર પાસે દરિયાકાંઠે આજે સવારે અજાણ્યા યુવાનની સળગેલી હાલતમાં લાશ મળ્યાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ છે.

મરનાર યુવાને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી કે કોઇએ આ યુવાનને સળગાવી નાખીને લાશ દરિયાકાંઠે ફેંકી ગયું..? તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. લાશને પી.એમ. માટે મોકલી છે.

(11:47 am IST)