Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમરેલી જીલ્લામાં કોરોના કેસ ૨૦ : માસ્‍ક ન પહેરનારા સામે કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૮: અમરેલી, અમરેલી જિલ્લામાં કોરોના કેસો રોકેટગતીએ આગળ આવી રહયા છે આજે ૨૪ કલાક દરમિયાન ૨૦ પોઝિટીવ કેસો નોંઘાયા છે જેમા અમરેલીમાં ૧૨ કેસો છે અને લાઠી,લીલીયા તથા કુંડલા અને કુંકાવાવમાં પણ કેસો આવ્‍યા છે જયારે ઘારીમાં કાલે બે કેસ આવ્‍યા બાદ આજે વઘુ એક કેસ આવ્‍યો છે.
અમરેલી જિલ્લામાં બાબરા કરીયાણા ચોકડી અજા કેશુભાઇ ચારોલીયા માસ્‍ક વગર નિકળતા, વંડામાં કમલેશ દુલાભાઇ પરમાર માસ્‍ક વગર નિકળતા, અમરેલીના બક્ષીપુરમાં ઘીરૂ સુરેશભાઇ પરમાર બિનજરૂરી બહાર નિકળતા, અમરેલી રોકડીયાપરામાં હરેશ ઘનજીભાઇ પાટડીયા બિનજરૂરી બહાર નિકળતા, સુનીલ સુરેશભાઇ મકવાણા માસ્‍ક વગર નિકળતા, મરીન પીપાવાના કડીયાળીમાં વશરામ નારણભાઇ બારૈેયા બિનજરૂરી ઘરેથી નીકળતા, રાજુલામાં અલીરજા સાબાનભાઇ લાખાણી માસ્‍ક વગર નિકળતા, લીલીયામાં વિજય જયસુખભાઇ ડાભી માસ્‍ક વગર નિકળતા, ઘવલ ઉર્ફે શનિ ઘનશ્‍યામભાઇ માસ્‍ક વગર નિકળતા, બાબરામાં છના કેશુભાઇ ચારોલીયા, નાગેશ્રીમાં ભરત આંબાભાઇ સુડાણી, ખાંભાના ખડાઘારમાં રવિ સોમાભાઇ ચોૈહાણ માસ્‍ક વગર નિકળતા, જાફરાબાદ સામાકાંઠે લક્ષ્મણ મોહનભાઇ શીયાળ બિનજરૂરી આંટાફેરા કરતા, ડુંગરમાં ભદ્રેશ માણસુરભાઇ સાંખટ પોતાની છકડો રીક્ષા જીજે ૧૪ યુ ૫૮૨૮ માં સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ ભંગ કરતા, સાવરકુંડલામાં વિનુ કાળુભાઇ ઘાખડા, જાફરાબાદમાં રાજુ રામજીભાઇ રાઠોડ, લાઠીમાં માઘવ હર્ષદભાઇ લંગાડીયા, જયદીપ શાંતીભાઇ મકવાણા માસ્‍ક વગર નિકળતા, લાઠીમાં રજનીકાંત ઉર્ફે રાજુ પ્રવીણભાઇ રાવળ બિનજરૂરી આંટાફેરા મારતા, ચલાલામાં દિનેશ ઘારશીભાઇ વાઘેલા, સાવરકુંડલામાં બશીરશા હુસેનશા પઠાણ, ધારીમાં ચંદ્રેશ મનહરલાલ પાનશેરીયા, દામનગરના નારાયણનગરમાં નરેશ દેવશીભાઇ મકવાણા, બગસરામાં કાંતી ગોકુળભાઇ કણજારીયા માસ્‍ક વગર આંટાફેરા મારતા પોલીસે જાહેર નામા ભંગ બદલનો ગુન્‍હો નોંઘી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(1:57 pm IST)