Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

કચ્‍છના વરમસેડા ગામના પ્રજ્ઞાચક્ષુ મહિલાએ પોતાના મૃત્‍યુની 4 દિવસ પહેલા આગાહી કરી દીધી હતી

અમદાવાદઃ ઘણી વાર લોકોને પોતાના નજર સામે મોત દેખાતુ હોય છે. દુનિયામાં અનેક લોકો અનેક પ્રકારની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે, જે સાચી પણ પડી છે. આવામાં કેટલાક પોતાના મોતની પણ ભવિષ્યવાણી કરતા હોય છે. આવો જ એક કિસ્સો કચ્છના નખત્રાણામાં બન્યો છે. એક મહિલાએ ચાર દિવસ પહેલા પોતાના મોતની કરેલી આગાહી સાચી પડી છે. બરાબર ચાર દિવસ બાદ જ તેમણે દેહ ત્યાગ કર્યો હતો.

બન્યું એમ હતું. નખત્રાણા તાલુકામાં વરમસેડા ગામ આવેલું છે. વરમસેડામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ મહિલા કમળાબેને ચાર દિવસ પહેલા કહ્યું હતું કે, ‘ચાર દિવસ બાદ હું મારા શરીરનો ત્યાગ કરીશ. અને થયું પણ એવુ જ. 75 વર્ષીય કમળાબેને આગાહીના ચાર દિવસ બાદ દેહ ત્યાગ કર્યો હતો.

75 વર્ષીય કમળાબેને બાલ્યાવસ્થામાં જ આંખની રોશની ગુમાવી હતી. તેમના ભત્રીજાએ કહ્યું કે, મના ફઇ અને રાણપુર ગુરુદ્વારા વાળા જીવણ સાહેબના શિષ્યા કમળાબેને તેમના ભાઇ લધારામને કહ્યું હતું કે, ચાર દિવસ બાદ હું તમારા વચ્ચે નહીં રહું અને હકીકતમાં તેમ બનીને જ રહ્યું, ઠીક ચાર દિવસ બાદ એટલે કે, તા.3-1, રવિવારના સવારે 9 વાગ્યા બાદ તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. શનિવારની રાત્રિએ ખીર, ખીચડી જમ્યા બાદ સગા-સંબંધીઓ સાથે વાતો પણ કરી હતી.

(5:12 pm IST)