Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જામનગર-જોડીયામાં પાંચ મકાનોમાં તસ્કરો ત્રાટકયા

ગુલાબનગર તથા જોડીયાના લક્ષ્મીપરા વિસ્તારમાં તસ્કરોના તરખાટથી લોકોમાં ભય

જામનગર-જોડીયા, તા. ૮ :. જામનગર અને જામનગર જિલ્લાના જોડીયામાં તસ્કરોએ તરખાટ મચાવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ જામનગર-રાજકોટ હાઈવે ઉપર આવેલા ગુલાબનગર પાછળ, રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળના વિસ્તારોમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયા હતા. આ બનાવની જાણ થતા સીટી બી-ડિવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મકાનોમાંથી કેટલો મુદ્દામાલ ચોરાયો છે ? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જામનગર જિલ્લાના જોડીયામાં પણ રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને ૩ જગ્યાએથી રોકડ સહિતનો માલ-સામાન ચોરી ગયા હતા.

જેમાં કુંવરજીભાઈ મગનભાઈ ભીમાણીના મકાનમાંથી રૂ. ૨ લાખનો માલસામાન તથા શ્રી રામ પ્રોવિઝન અને મનસુખભાઈ દુધવાળાની દુકાનને પણ તસ્કરોેએ નિશાન બનાવીને રોકડ તથા માલસામાન ચોરી ગયા હતા.

આ બનાવની જાણ થતા જોડીયા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

(1:06 pm IST)