Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભીમરાણામાં પરિણિતાએ માવતરના ઘરે ગળે ફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી

ખંભાળીયા તા. ૮ :.. ભીમરાણા ગામે કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા મેઘજીભાઇ કચરાભાઇ ઘેડીયાની પુત્રી સંધ્યા (ઉ.ર૦) નીના લગ્ન પાંચેક મહિના પહેલા અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા દિપક ગોરેશા સાથે થયા હતાં લગ્ન બાદ છેલ્લા બે મહિનાથી પોતે પિયરમાં આવી સાસરીયે નહીં જાવું હોવાનું જણાવી રહેતી હતી. ગત તા. ૭ ના રોજ ઘરના રૂમમાં પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં મોત નિપજયું હતું. બનાવ અંગે દ્વારકા પોલીસે નોંધ કરી આગળની તપાસ પીઆઇ ડાંગર ચલાવી રહ્યાં છે.

(1:04 pm IST)