Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

શુક્રવારે ગિરનાર પર્વતના અંબાજી મંદિરે માતાજીનો પ્રાગટય દિન ઉજવાશે

બાવન શકિત પીઠો પૈકી એક ઉદયન પીઠ તરીકે આ મંદિર ઓળખાય છે. પુ.તનસુખગીરીબાપુના સાનિધ્યમાં વહેલી સવારથી માતાજીને દુધ ગંગાજળથી અભિષેક કરાશે તેમજ શ્રી સુકતપાઠના પાઠ યજ્ઞ હવન અને ધ્વજા રોહણ મહાઆરતી મહાપ્રસાદ સહિતના આયોજનો

જુનાગઢઃ ગીરનાર પર્વતના પાંચ હજાર પગથિયે બિરાજમાન માતા અંબાજીની ઉધ્યનપીઠનો પોષી પુનમે પ્રાકટયોત્સવ માતાજીનો જન્મદિન ધામધુમથી ઉજવવામાં આવશે ઉપરોકત તસ્વીરમાં ગરવા ગઢ ગીરનાર ઉપર આવેલ માતાજીનું પ્રાચીન નિજ મંદિર અને મંદિરમાં બિરાજમાન માતા અંબાજીનું સ્થાનક પાસે પુજા-અર્ચન, આરતી કરી રહેલા મહંત પૂ. તનસુખગીરીબાપુ પુજય ગણપતગીરીબાપુ કિશોરભાઇ અને ભાવિકો નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

જુનાગઢ તા. ૮ : સોરઠના પ્રભાર્સક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાનો પોષી પુનમ એટલે જગત જનની માં અંબાજીમાંનો પ્રાગટય દિવસ યાને માતાજીનો જન્મ દિવસ ૧૦ જાન્યુઆરી શુક્રવારે પોતાનો પ્રવિતામહ એવા ગરવા ગઢ ગિરનારના પાંચ હજાર પગથિયા ઉપર બિરાજમાન માતા અંબાજીના પ્રાચીન નીજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીનો પ્રાગટય મહોત્સવે મંદિરના મહંત મોટા પીરબાવા મહંત તનસુખગીરીબાપુ, નાના પીરજી મહંત ગણપતગીરીબાપુની નિશ્રામાં હજારો માઇભકતોની હાજરીમાં માતાજીને શ્રીગાર સાથે શ્રીસુકતના પાઠ હોમહવન-ગંગાજળ દુધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શીખર ઉપર બાવન ગજની ધજા ચડાવાશે, બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસાશે.

સવારના ૭ વાગ્યાથી બપોરના ર વાગ્યા સુધી માતાજીનો પ્રાગટયોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.

આ મહોત્સવ અંગેની વિસ્તૃત ચર્ચા કરતા મંદિરના મહંત પૂ. તનસુખગીરી બાપુએ જણાવેલ હતું કે માતાજીની કુલ પર શકિતપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શકિતપીઠ ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. અહિં માતાજીના ઉદર (પેટ) નો ભાગ પડેલો હોય, જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ પ્રજાપતિ દયક્ષે''બ્રહસ્પતિસઠ'' નામનો એક મહાયજ્ઞનું આયોજન કરેલ હતું.

જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રીત કરેલ હતા. એક માત્ર પોતાના જમાઇ શિવજીને આમંત્રણ ન આપતા સતી પાર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઇ રહ્યો હોય તેમાં મારા પતિ શંકરને આમંત્રણ નથી.

તેમ છતાં માતા પાર્વતીજીએ યજ્ઞમાં જવા ભગવાન શિવજીની મનાઇ હોવા છતાં માતાજી પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાનું પતિની નિંદા સહન થ થતા અત્યંત દુઃખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડી જઇને પોતાનો દેહ ત્યજી દિધો, જે વાતની ભગવાન શિવને જાણ થતા શિવજીએ સતિ પાર્વતીના નિશ્ચેતન દેહને ખંભે ઉચકી તાંડવ કરવાનું શરૂ કરી દેતા સૌ કોઇ દેવો ડરી ગયા અને ભગવાન વિષ્નુને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે જ કાંઇ કરો, નહી તો સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઇ જશે ત્યારે ભગવાન વિશ્નુએ ચક્ર દ્વારા દેવીના શરીરના બાવન ટુકડા કરી ટુકડા જયાં જયાં પડયા તે સ્થળે માતાજીની શકિતપીઠો નિર્માણ પામી હતી. જેમાંની એક શકિતપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.

બાવન શકિતપીઠો વિશેની સંપૂર્ણ માહિતી

જૂનાગઢ, તા. ૮ :. સારાયે વિશ્વ સહિત ભારત ખંડના જુદા જુદા રાજ્યો, ખંડો વગેરે જગ્યાએ માતાજીની કુલ બાવન શકિતપીઠો અંગેની રસપ્રદ માહિતી આપતા ગિરનાર અંબાજી મંદિરના મહંત પૂ. તનસુખગીરીબાપુના જણાવ્યા અનુસાર ભારત દેશ ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિતના દેશોમાં માતારાનીની શકિતપીઠો આવેલી છે. જે જગ્યાએ માતાજીના અંગો પડેલા છે તે તમામ શકિતપીઠો કયાં અને કઈ જગ્યાએ કયા નામથી ઓળખાય છે અને તેના ભૈરવ કોણ છે ? તે અંગેની રસપ્રદ માહિતી અત્રે પ્રસ્તુત છે.

(11:54 am IST)