Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જસદણના યુવાને ગિરનાર જંગલમાં ગળાફાંસો ખાધો

જૂનાગઢ, તા. ૮ :. જૂનાગઢના ભવનાથથી બે કિ.મી. દૂર ગિરનાર જંગલમાં વૃક્ષ સાથે માનવ લાશ લટકતી હોવાની જાણ થતા પોલીસ અને વન વિભાગનો કાફલો દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક રાજકોટ જિલ્લાના જસદણના શકિતનગરમાં રહેતો રોહિત દિનેશભાઈ રોજાસરા (ઉ.વ. ૨૦) હોવાનું ખુલ્યુ હતું.આ અંગે પોલીસે મરનાર યુવકના પરિવારને જાણ કરતા ગમગીની વ્યાપી ગઈ હતી.

યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા મળેલ નથી. વિશેષ તપાસ પોલીસ જમાદાર આર.આર. બામરોટીયા ચલાવી રહ્યા છે.

(11:52 am IST)