Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ભાવનગરમાં ૪ લાખની ધરફોડી

મકરસંક્રાતિ નિમિતે બહેનના ઘરે સુરત 'ખીચડો' આપવા ગયાને તસ્કરો ફાવી ગયા

ભાવનગર, તા.૮: ભાવનગરનો પરિવાર પોતાની દિકરીને ખીચડો આપવા સુરત ગયા હતા ત્યારે તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૪ લાખની માલમતાની ચોરી કરી નાસી છુટયા હતા.

બનાવની વિગતો એવી છે કે શહેરમાં ચિત્રા-સીદસર રોડ ઉપર આવેલ બજરંગ બાળક સોસાયટીનાં પ્લોટ નં-૧૪૪ એમાં રહેતા હર્ષદભાઇ વાલજીભાઇ રાઠોડ પોતાની માતા સાથે સુરત બહેનનાં ઘરે મકરસંક્રાતિ નીમીતે ખીચડો દેવા માટે સુરત ગયા હતા. ત્યારે ભાવનગરમાં તેના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ તાળા તોડી રોકડા રૂ.૨લાખએ સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ.૪ લાખની માલમતાની ચોરી કરી નાખી છુટયા હતા.

આ બનાવ અંગે ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.(૨૨.૭)

(11:43 am IST)