Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

કનખરા પરિવાર દ્વારા જુનાગઢમાં નવચંડી મહાયજ્ઞ યોજાયો

જામનગર  :  કનખરા પરિવાર દ્વારા વાઘેશ્વરી માતાજી મંદિર ગિરનાર તળેટી જુનાગઢમાં આવેલ સુરાપુરા બાપાના સાનિધ્યમાં નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજમાન કાંતિભાઇ દેવજીભાઇ કનખરા પરિવાર દ્વારા આયોજીત નવચંડી મહાયજ્ઞમા઼ બહોળી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહી ધાર્મિક વિધીમાં જોડાયા હતા. સવારે નવચંડી યજ્ઞ બાદ બિડુ હોમાયુ હતું ત્યારબાદ જુનાગઢ રોડ ખાતે પરિવારજનોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

યજ્ઞને સફળ બનાવવા કનખરા સમાજના પ્રમુખશ્રી ધીરૂભાઇ કનખરા, વિનુભાઇ કનખરા, રૂપેનભાઇ કનખરા, પ્રકાશભાઇ કનખરા તેમજ ટ્રસ્ટીગણોએ  જહેમત ઉઠાવી હતી તે ઉપરાંત આશાપુરા મિત્ર મંડળ દ્વારા પ્રસંશનિય કામગીરી કરી કાર્યને સફળ બનાવ્યું હતું.

(1:01 pm IST)