Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ગોંડલના રાજવી પરિવારના ગિરિરાજસિંહ જાડેજાનું મુંબઇમાં અવસાન

ગોંડલ : ગોંડલના જેતપુર રોડ પર આવેલ હવા મહેલ રાજવી પરિવારના અને મુંબઇ રહેતા ગિરિરાજસિંહ શિવરાજસિંહ જાડેજા (ઉ.વ.૭૧) ને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમનું નિધન થતાં રાજવી પરિવારમાં શોકનું મોજુ ફેલાવવા પામ્યું હતું. ગોંડલ હવા મહેલ યુવરાજસાહેબ ઉપેન્દ્રસિંહજી તેમજ યુવરાજ જયોતિર્મયસિંહજીને સમાચાર મળતા જ મુંબઇ પહોંચ્યા હતાં અને નામદાર જગન્નાથ શંકર શેઠ સ્મશાનભૂમિ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. આ તકે રાજવી પરિવાર સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. ગોંડલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા પણ અંતિમ વિધિમાં જોડાયા હતા. આ અંતિમ વિધિ સ્થળ પર ગોંડલ મહારાણી નંદકુવરબાનું પણ સમાધિ સ્થળ આજે પણ ઉપલબ્ધ છે.

(11:39 am IST)