Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં પેશકદમી દુર કરવા કિશાન સંઘની રજૂઆત

પોરબંદર તા. ૭: જીલ્લાના ત્રણે તાલુકાઓ પોરબંદર, રાણાવાવ, કુતીયાણાના શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારની પેશકદમી દુર કરવા બાબતે ભારતીય કિશાન સંઘના નગાજણભાઇ જેઠવાએ કલેકટરને રજુઆત કરી છે.

પોરબંદર જીલ્લાના ત્રણે તાલુકાઓ, પોરબંદર, રાણાવાવ અને કુતીયાણાના જાહેર રસ્તાઓ શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના જે સીમ વિસ્તાર એક ગામથી બીજા ગામ જોડતા સીમાડાના રસ્તા અને વાડી વિસ્તારના આંતરીક અને ગારીના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પેશકદમી થઇ ગયેલ છે. અમુક વિસ્તારમાં તો જાહેર રસ્તાઓ સંપુર્ણપણે ગુમ થઇ ગયેલ છે. ઘણી જગ્યાએ સરકારી જમીન પર પેશકદમી કરી અસામાજીક તત્વોએ આ સરકારી જમીન ગેરકાયદેસર વેચી મારી છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:33 am IST)