Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

હળવદના ચરાડવાના સહજાનંદ ગુરૂકુળના સંચાલક સહિત ૩ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ

એડમિશન આપવાનાં બહાને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ અંગે પોલીસ તપાસનો ધમધમાટ

હળવદ તા. ૭: હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતી સમાજ સેવીકાને સહજાનંદ ગુરૂકુળમાં એડમિશન આપવાને બહાને સહજાનંદ ગુરૂકુળના સંચાલક લલીતભાઇ મકનભાઇ પટેલ રે. ચરાડવા, અલ્કેશ મણિલાલ પટેલ રહે. ચરાડવા અને એક અજાણ્યા ઇસમે ચરાડવા ખાતે આવેલ ગુરૂકુળમાં માર્ચ-ર૦૧૬માં આ દુષ્કર્મ આચરાયું હતું. પરંતુ લાંબા સમયગાળા બાદ ફરીયાદ નોંધાવી છે.

વધુમાં સહજાનંદ ગુરૂકુળના સંચાલકો દ્વારા ફરીયાદીને એડમીશન લેવા ગયેલ તે વખતે ફરીયાદીની મરજી વિરૂધ્ધ આરોપીઓ દુષ્કર્મ આચર્યું હતું.

અજાણ્યા ઇસમે દરવાજો બંધ  કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે કલમ ૩૭૬, પ૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. (૭.૧૭)

(3:50 pm IST)