Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

વઢવાણના બલદાણાના પેટ્રોલપંપના માલિક લાલુભા અસ્વારની હત્યામાં શકમંદોની પુછપરછ

વઢવાણ તા. ૭ : તાલુકાના બલદાણા ગામમાં રહેતા અને તલ, કપાસનો વ્યવસાયનો કરતા લાલુભા ગભીરસિંહ અસ્વાર હું આવું છું તેમ કહીને ઘરેથી કહી નીકળી ગયા હતા પરંતુ અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પાસે ખેતરમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર ફેલાઇ હતી આ ઘટના અંગે મૃતકના પરિવારજનોએ અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરીયાદ નોંધાવી હતી શખ્સ કોઇ અગમ્ય કારણોસર કોઇ તિક્ષણ કે અન્ય હથીયાર વડે લાલુભાની હત્યા કરાઇ હોવાનંુ બહાર આવ્યું હતું.

પી.આઇ. વ્યાસની આગેવાનીમાં આ હત્યા પ્રકરણમાં શકમંદોની અટકાયત કરીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો જેમા હત્યાની પાછળ પૈસાની લેતી-દેતી હોવાની શંકા પોલીસે આપી હતી.

(3:40 pm IST)