Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

જુનાગઢમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

 ખંભાળીયા : વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા) જુનાગઢ બિલખા રોડ, નંદ કિશોર નર્સરી સામે વિજાપુર રોડ દ્વારા દિવ્યાંગોને સાથે જોડી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. દિવ્યાંગ બાળકો દ્વારા વ્હીલચેર બેસી એક જાગૃતિ રેલી કાઢવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ દિવ્યાંગો માટે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. નેશનલ ટ્રસ્ટ દિલ્લી અંતર્ગત મંદબુધ્ધિ દિવ્યાંગ, ઓટીઝમ, બહુદિવ્યાંગ તથા ડાઉન સિન્ડ્રોમ દિવ્યાંગો માટે નિરામયા હેલ્થ પોલીસી માટે પણ રજીસ્ટ્રેશન કરવામાં આવેલ. આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. દિવ્યાંગોની રેલીની તસ્વીર. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:47 am IST)