Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

હળવદના ભલગામડા ગામે ખેડૂતોએ હલ્લાબોલ પાક નુકશાનની સર્વેમા ગેરરીતી થયાનો આક્ષેપ

કપાસના પાંદડા લીલા હોયતો નુકશાની ગણવામા આવતી નથી.

મોરબીના હળવદના ભલગામડા ગામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. હળવદ તાલુકામા પાક નુકશાનની સર્વેમા ગેરરીતી થતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ૩૩ ટકાથી વધુ નુકશાનની સત્તા સર્વેમા નથી તેવુ અધિકારીએ જણાવતા ખેડૂતો વિફર્યા હતા.

  ભલગામડા ગામે સર્વે ટીમ પહોચતા જ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મોરબી જીલ્લામા પાક નુકશાનનીનો સર્વે થઇ રહ્યો છે. કપાસના પાંદડા લીલા હોયતો નુકશાની ગણવામા આવતી નથી. ખેડુતોનો બચેલો પાક વેચાણ થયા બાદ અધિકારીઓ દ્ધારા સર્વે કરવામા આવી રહ્યો છે.

(9:58 pm IST)