Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જયંતિ ભાનુશાળી હત્યા કેસ : પોલીસ કસ્ટડીમાં મનીષાની તબિયત લથડી: બંને આરોપીને ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે

પોલીસ બંને આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરશે.

અમદાવાદ : કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસ મામલે સુત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ રેલ્વે પોલીસની કસ્ટડીમાં છે. બંને આરોપીઓને કાલે ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે. જ્યાં પોલીસ બંને આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરશે

  . પોલીસ કસ્ટડીમાં મનીષાની તબિયત લથડતાં તેને સારવાર આપવામાં આવી. તો ૩૦ કલાકની લાંબી મુસાફરી બાદ મનીષા અને સુરજીતનું કાયદાકીય પ્રક્રિયા મુજબ મેડીકલ ચેક કરાવાયુ છે.

   ભાનુશાળી હત્યામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ તપાસ કરશે. બંને ફરાર હતા ત્યારે કોણે નાણાકીય મદદ કરી હતી. તથા છબીલ પટેલ સાથે તેમના સંબંધો સહિતની બાબતોની તપાસ માટે પોલીસ રિમાન્ડ માગશે. અગામી સમયમાં પોલીસ રિમાન્ડ દરમિયાન ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કરવાની હોવાનું જાણવા મળી રહ્યું છે

(9:00 pm IST)