Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જામનગરમાં ડેન્ગ્યુના ૫૦ દર્દીઓ સારવારમાં: ૪૦ને રજા અપાઇ

જામનગર, તા.૭:જામનગર જિલ્લામાં મહા વાવાજોડાને લઈને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. તેવામાં પાણીજન્ય રોગચાળો ગણાતો ડેંગ્યુનો રોગચાળો શહેરમાં ઓછો થયો છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં હાલ પણ ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે.

જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૫૦ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. ગઈકાલની સ્થિતિએ ૫૦ દર્દીઓ ડેંગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૪૦ દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડેંગ્યુના કેટલાક કેસો સામે આવ્યા છે. અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના કેટલાક કેસો સામે આવી રહ્યા છે. જામનગરના શહેર વિસ્તારમાં હાલ ડેંગ્યુના કેસો દ્યટી રહ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં ડેંગ્યુની અસર જોવા મળી રહી છે.

જામનગર જિલ્લામાં વધી રહેલા ડેંગ્યુના કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ કેળવવા માટે ખુલ્લામાં ભરાયેલા પાણીમાં ઓઇલ નાખવા અને દવા છટકાવ કરવાની કામગીરી આરંભાઈ છે.જામનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શેરી મહોલ્લાઓમાં દ્યેર-દ્યેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ જઈ રહ્યા છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાલમાં ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવ અંગે ચેકીંગ કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

(3:24 pm IST)