Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

દરિયા કાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલા રૂપે માંગરોળ બંદર ખાતે પ્રાંત અધિકારી રેખાબા સરવૈયાની મુલાકાત

જુનાગઢઃ સામ્પ્રત સમયે મહા વાવાઝોડાની અસર અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલારૂપે માંગરોળ બંદર ખાતે પ્રાંત અધિકારી  રેખાબા સરવૈયા એ રૂબરૂ જઇને ખારવા સમાજના આગેવાનો સાથે વાવાઝોડા અંતર્ગત રાખવા પાત્ર તકેદારી અંગે જાણકારી આપી હતી આ તકે રેખાબા સરવૈયા એ માંગરોળ વિસ્તારના ગામોની રૂબરૂ મુલાકાત લઇ ગ્રામજનો અને લોકોને મહા વાવાઝોડા અંતર્ગત કમોસમી વરસાદથી થતા નુકસાન નિવારવા રાખવા પાત્ર તકેદારીઓ અંગે જાણકારી આપી સાવધ કર્યા હતા.

(1:48 pm IST)