Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મુખ્‍યમંત્રીના આગમન પહેલા મોરબીમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના આગેવાનોને નજરકેદ કરાયા

મોરબી,તા.૭: મોરબી જીલ્લાની એસ.પી કચેરીનું મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્‍તે લોકાપર્ણ આજે લોકાર્પણ કરવામાં આવશે અને ત્‍યારબાદ મોરબીમાં મહિલા દૂધ સંદ્યનું કાર્યાલય અને ચિલીંગ પ્‍લાન બનવાનો હોય જેનું ખાતમુર્હત મુખ્‍યમંત્રીના હસ્‍તે આજે કરવામાં આવનાર છે ત્‍યારે મોરબી જીલ્લા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા કાળા વાવટા ફરકાવીને મુખ્‍યમંત્રીનો વિરોધ કરવામાં આવનાર હોય જેથી મોરબી પોલીસે મુખ્‍યમંત્રીના આગમન પહેલા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્‍દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, રોનક પારેખ, હસમુખભાઈ કાસુન્‍દ્રા, હસુભાઈ માકાસણા, શક્‍તિપાળ સિંહ ચુડાસમા,પીયુષ પટેલ સહિતના આગેવાનોને નજર કેદ કરવામાં આવ્‍યા છે.

(1:41 pm IST)