Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મોરબીના નવલખી બંદરે ૩ નંબરનું ભયજનક સિગ્નલ

મોરબી,તા.૭: મહા વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે મોરબીમાં એનડીઆરએફ ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે અને તા. ૦૭ ના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું દસ્‍તક દે તેવી શક્‍યતાને પગલે મોરબીના નવલખી બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે

મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદર પર બુધવારે ૩ નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે અગાઉ ૨ નંબરનું સિગ્નલ કાર્યરત હતું અને તા. ૦૭ ને ગુરુવારે બપોર સુધીમાં મહા વાવાઝોડું દસ્‍તક દે તેવી શક્‍યતાને પગલે ૩ નંબરનું ભયજનક સિગ્નલ લગાવ્‍યું છે તેમજ માછીમારોને પણ દરિયો ના ખેડવા સુચના આપી દેવામાં આવી છે.

(1:40 pm IST)